+¾à´ÉÉ±É |
|
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિ.એ 31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના સ્ટેન્ડએલોન અને કોન્સોલિડેટેડ પરિણામ જાહેર કર્યા છે, જે નીચે મુજબ છે.
સ્ટેન્ડએલોન ત્રિમાસિક પરિણામ
31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.1,548.97 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.1,268.55 કરોડ થયો હતો. કુલ આવક રૂ.22,905.23 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.17,467.52 કરોડ થઈ હતી.
કોન્સોલિડેટેડ ત્રિમાસિક પરિણામ
ગ્રુપને 31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.2,998.37 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.2,608.13 કરોડ થયો હતો. ગ્રુપની કુલ આવક રૂ.32,849.56 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.26,215.47 કરોડ થઈ હતી.
|